શ્યામજી કૃષ્ણવર્મા નો જન્મદિવસ
🖊️ જન્મ - 4 ઓક્ટોબર 1857 (માંડવી, કચ્છ)
🖊️ અવસાન - 30 માર્ચ 1930 (જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ)
🖊️ હુલામણુ નામ - પંડિત
🖊️ તેઓ સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારી, વકીલ તેમજ રાષ્ટ્રવાદી પત્રકાર હતા.
🖊️ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર હતા.
🖊️ શ્યામજી કૃષ્ણ વર્માને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારી વિચાર ધારા ના પ્રણેતા માનવામાં આવે છે.
🖊️ તેઓ કાયદાના અભ્યાસ માટે ટેમ્પલ માં પ્રવેશ મેળવવો અને નવેમ્બર 1884માં કાયદા ની પદવી મેળવી બેરિસ્ટર થયા.
🖊️ વર્ષ 1885માં ભારત પરત ફર્યા અને મુંબઈ હાઈકોર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી.
🖊️ ત્યારબાદ વર્ષ 1897 માં હંમેશા માટે ભારત છોડી ઇંગ્લેન્ડ સ્થાયી થઈ ગયા હતા.
🖊️ તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ (માસિક) ઇન્ડિયન હોમરૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો.
🖊️ વર્ષ 1905માં ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક શરૂ કર્યું હતું.
🖊️ 18 ફેબ્રુઆરી 1905માં ભીખાઈજી કામા, દાદાભાઈ નવરોજી અને સરદાર સિંહ રાણા ની સહાયથી લંડન ખાતે ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી.
🖊️ વર્ષ 1935 માં સૌપ્રથમ ઈન્દુલાલ યાજ્ઞિકે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું જે પહેલા કનૈયાલાલ મુનશી લખવાના હતા.
🖊️ પુસ્તક લખ્યા ના 15 વર્ષ બાદ એટલે કે 1950માં પુસ્તક પ્રકાશિત થયું ત્યાર બાદ કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો.
🖊️ શ્યામજી કૃષ્ણ વર્માના સન્માનમાં 4 ઓક્ટોબર 1989ના રોજ સ્વાતંત્ર સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.
🖊️ શ્યામજી કૃષ્ણ વર્મા ની યાદમાં કચ્છ યુનિવર્સીટી નું નામ બદલીને શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું.
🖊️ 22 ઓગસ્ટ 2003 માં હાલના પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવા થી તેમના અસ્થિ ભારત પરત લાવ્યા હતા.
🖊️ 13 ડિસેમ્બર 2010ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થળ માંડવી (કચ્છ) ખાતે દેશને સમર્પિત કર્યું હતું જે ક્રાંતિ તીર્થ ના નામે ઓળખાય છે.