ડૉ.મેઘનાદ સાહા નો જન્મદિવસ
➡️ જન્મ - 6 ઓક્ટોબર 1893
➡️ અવસાન - 16 ફેબ્રઆરી 1956
➡️ પૂરું નામ - મેઘનાદ જગન્નાથ સાહા
➡️ પિતાનું નામ - જગન્નાથ સાહા
➡️ માતાનું નામ - ભુવનેશ્વરી દેવી
➡️ અભ્યાસ - કોલકતા પ્રેસિડેન્સી કૉલેજ
🖊️ તેમણે વર્ષ 1913 માં B.Sc અને વર્ષ 1915 માં M.Sc ની પરિક્ષા ઉતીર્ણ કરી હતી.
🖊️ તેઓ વર્ષ 1913 થી 1938 સુધી અલાહાબાદ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
🖊️ વર્ષ 1934માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં અધ્યક્ષ પદે રહી ચૂક્યા હતા.
🖊️ તેમણે ભારતીય રાષ્ટ્રીય શક પંચાંગનુ સંશોધન કર્યુ હતું જે 22 માર્ચ 1957થી લાગુ કરવામાં આવ્યું હતું.
🖊️ તેમણે સાહા ભૌતિક સંસ્થાન અને ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટીવેશન ઓફ સાયન્સ નામની બે સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી.
🖊️ ડોક્ટર મેઘનાદ સાહાએ સાપેક્ષતા અને કોન્ટમ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી ગરમીના કારણે પરમાણુઓના આયનીત થવાનો સિદ્ધાંત શોધ્યો હતો.
🖊️ તેઓએ શોધેલો સાઇક્લોટ્રોનનો સિદ્ધાંત આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં ઘણો ઉપયોગી પુરવાર થયો હતો.
🖊️ તેઓએ તારા ઉપર તાપ, પ્રકાશ અને વર્ણક્રમનાં નિકટના સંબંધોના ભૌતિકી કારણોની પણ શોધ કરી હતી.
🖊️ તેઓએ જે તારાઓ અને પરમાણુઓ નો પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો એ ભારતની વિશ્વને દેન છે.
🖊️ તેઓનું નામ હેલી નામના ધૂમકેતુ પર મહત્ત્વપૂર્ણ સંશોધનોમાં પણ આવે છે