Dr.Meghnad Saha | ડૉ.મેઘનાદ સાહા

 ડૉ.મેઘનાદ સાહા નો જન્મદિવસ



➡️ જન્મ - 6 ઓક્ટોબર 1893

➡️ અવસાન - 16 ફેબ્રઆરી 1956

➡️ પૂરું નામ - મેઘનાદ જગન્નાથ સાહા

➡️ પિતાનું નામ - જગન્નાથ સાહા

➡️ માતાનું નામ - ભુવનેશ્વરી દેવી

➡️ અભ્યાસ - કોલકતા પ્રેસિડેન્સી કૉલેજ


🖊️ તેમણે વર્ષ 1913 માં B.Sc અને વર્ષ 1915 માં M.Sc ની પરિક્ષા ઉતીર્ણ કરી હતી.


🖊️ તેઓ વર્ષ 1913 થી 1938 સુધી અલાહાબાદ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે સેવા આપી હતી.


🖊️ વર્ષ 1934માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં અધ્યક્ષ પદે રહી ચૂક્યા હતા.


🖊️ તેમણે ભારતીય રાષ્ટ્રીય શક પંચાંગનુ સંશોધન કર્યુ હતું જે 22 માર્ચ 1957થી લાગુ કરવામાં આવ્યું હતું.


🖊️ તેમણે સાહા ભૌતિક સંસ્થાન અને ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટીવેશન ઓફ સાયન્સ નામની બે સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી.


🖊️ ડોક્ટર મેઘનાદ સાહાએ સાપેક્ષતા અને કોન્ટમ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી ગરમીના કારણે પરમાણુઓના આયનીત થવાનો સિદ્ધાંત શોધ્યો હતો.


🖊️ તેઓએ શોધેલો સાઇક્લોટ્રોનનો સિદ્ધાંત આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં ઘણો ઉપયોગી પુરવાર થયો હતો.


🖊️ તેઓએ તારા ઉપર તાપ, પ્રકાશ અને વર્ણક્રમનાં નિકટના સંબંધોના ભૌતિકી કારણોની પણ શોધ કરી હતી.


🖊️ તેઓએ જે તારાઓ અને પરમાણુઓ નો પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો એ ભારતની વિશ્વને દેન છે.


🖊️ તેઓનું નામ હેલી નામના ધૂમકેતુ પર મહત્ત્વપૂર્ણ સંશોધનોમાં પણ આવે છે 



Previous Post Next Post

એક વિચાર | ek vichar