World Teacher's Day | વિશ્વ શિક્ષક દિન

 વિશ્વ શિક્ષક દિન



🖊️ 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


🖊️ ભારતમાં પ્રતિ વર્ષ ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ ગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય છે.


🖊️  વર્ષ 1966માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની બેઠક યોજાઇ હતી તેમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ પર ચર્ચા કરવામાં આવી હતી.


🖊️ વર્ષ 1994થી પ્રતિ વર્ષ લગભગ સો થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.


🖊️  આ વર્ષે 2021 માં 27મો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ છે.


📝 આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવાનો હેતુ શું?

➡️ જીવનમાં શિક્ષકો, અધ્યાપકો ની અનિવાર્યતા તથા તેઓના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.


📝 વર્ષ 2019 ની થીમ

➡️ " Young teachers: the future of the profession "


📝 વર્ષ 2020 ની થીમ

➡️ " Teachers: leading in Crisis, reimagining the future "


📝 વર્ષ 2021 ની થીમ

➡️ " Teachers at the heart of education recovery "


➡️ સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.


➡️ શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખી દે ,પણ વાસ્તવિક શિક્ષક તો એ છે જે તેને ભવિષ્યના પડકારોનો માટે તૈયાર કરે છે.


➡️ શિક્ષક માટે તો એવું કહેવાય છે કે તે મીણબત્તીની સમાન છે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.


➡️ એક વાત તો નક્કી છે કે ગુરુ વગર તમે ગમે તેટલા સફળ થાઓ પણ ક્યારેય સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.


➡️ આમ જો ખરેખર જોવા જઈએ તો આપણા સમાજના સાચા શિલ્પકાર તો શિક્ષક જ છે.


➡️ તમે માનો કે ના માનો પણ અન્યાય સામે લડવાની હિંમત અને સાચી પ્રેરણા આપણને એક સાચા શિક્ષક પાસેથી મળતી હોય છે.


🖊️ અંતમાં એટલું જ કહીશ કે મારી આ પોસ્ટ તમને ગમી હોય અને તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો પરિવારજનો અને તમારા જીવનમાં અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવનારા શિક્ષક સાથે શેર કરજો...


Previous Post Next Post

એક વિચાર | ek vichar