વિશ્વ શિક્ષક દિન
🖊️ 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ ભારતમાં પ્રતિ વર્ષ ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ ગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવાય છે.
🖊️ વર્ષ 1966માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની બેઠક યોજાઇ હતી તેમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ પર ચર્ચા કરવામાં આવી હતી.
🖊️ વર્ષ 1994થી પ્રતિ વર્ષ લગભગ સો થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
🖊️ આ વર્ષે 2021 માં 27મો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ છે.
📝 આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવાનો હેતુ શું?
➡️ જીવનમાં શિક્ષકો, અધ્યાપકો ની અનિવાર્યતા તથા તેઓના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
📝 વર્ષ 2019 ની થીમ
➡️ " Young teachers: the future of the profession "
📝 વર્ષ 2020 ની થીમ
➡️ " Teachers: leading in Crisis, reimagining the future "
📝 વર્ષ 2021 ની થીમ
➡️ " Teachers at the heart of education recovery "
➡️ સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.
➡️ શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખી દે ,પણ વાસ્તવિક શિક્ષક તો એ છે જે તેને ભવિષ્યના પડકારોનો માટે તૈયાર કરે છે.
➡️ શિક્ષક માટે તો એવું કહેવાય છે કે તે મીણબત્તીની સમાન છે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.
➡️ એક વાત તો નક્કી છે કે ગુરુ વગર તમે ગમે તેટલા સફળ થાઓ પણ ક્યારેય સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.
➡️ આમ જો ખરેખર જોવા જઈએ તો આપણા સમાજના સાચા શિલ્પકાર તો શિક્ષક જ છે.
➡️ તમે માનો કે ના માનો પણ અન્યાય સામે લડવાની હિંમત અને સાચી પ્રેરણા આપણને એક સાચા શિક્ષક પાસેથી મળતી હોય છે.
🖊️ અંતમાં એટલું જ કહીશ કે મારી આ પોસ્ટ તમને ગમી હોય અને તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો પરિવારજનો અને તમારા જીવનમાં અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવનારા શિક્ષક સાથે શેર કરજો...